જ્ઞાતિ વંદના
સોમનાથ પ્રભાસ ક્ષેત્ર ના પીપળવા ગીર ગામે સ્વ.દક્ષાબેન નારણદાસ ગોંડલીયા ના સ્મરણાર્થે સંત ભંડારા પ્રસંગે સાધુ સભામાં ઉપસ્થિત રહી સભામાં ઉપસ્થિત સૌ સંતો ના દર્શન કરવા નો સૌભાગ્ય રુપી અવસર મળ્યો હતો. આ તકે પંચ નીર્મોહી અની અખાડા ના પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પુજય અજય બાપુ સવરામંડપ જુનાગઢ, પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી૧૦૦૮ રામબાલકદાસબાપુ દુધઇ વડવાળા મંદિર, પુજ્ય મહંત શ્રી ભરતબાપુ તથા અલ્પેશ બાપુ સંત શ્રી ખીમદાસબાપુ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયાધામ, પુજ્ય કોઠારી શ્રી મગનબાપુ આપાઝાલાની જગ્યા મેસરીયા એ આશીર્વચન પાઠવ્યા હતા.ઉમંગભાઇ અને નારણદાસબાપુ
ના પરીવાર ને સાધુ વાદ... ધીરુભાઇ દુધરેજીયા,પ્રફુલભાઇ દુધરેજીયા, હરીભાઇ દુધરેજીયા, પ્રભુદાસ મેસવાણીયા અને અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભંડુરી ગામે ભીખરામ બાપુ હરીયાણી ના પ્રેમાઆર્ગહ ને નીમીતે એમની પાવન ઝુંપડી માર્ગી દ્વારા એ સંતો એ પધરામણી કરી હતી. કપીલભાઇ હરીયાણીને સાધુ વાદ... પ્રેમ નમન... પ્રસન્ન જીંદગી જીવવા માટે શ્રધ્ધા રાખવી જરૂરી છે સ્પર્ધા માં ન ઉતરવું જોઈએ. તું ગુલાબ હોકે મહક તુજે જમાના જાને... ફુલ ને કચડાઈ ગયા પછી પણ પોતાની સુગંધ પ્રસરાવવાનુ નથી ભુલાતું...
અહેવાલ:અલ્પેશબાપુ ગોંડલીયા મોવિયા ધામ