શ્રી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ

શ્રી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ

 જ્ઞાતિ વંદના


શ્રી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


હતી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પરિવાર ના પ્રમુખ શ્રી મુકેશભાઈ આર ગોંડલીયા માર્ગ દર્શન હેઠળ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અમરેલી રામેશ્વર મહાદેવ મંદિર સરદાર ચોકથી નિકળી ને શહેર ના રાજ માર્ગ પર થી પસાર થઇ ને સિનિયર સિટીઝન પાર્ક ખાતે સમ્પન્ન થઈ હતી  આ શોભાયાત્રામાં  અમરેલી શહેર ના વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પરિવાર ના તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજ ગૌરવ વધારેલ  તેમજ શ્રી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ સતત સક્રિય પ્રમુખશ્રી મુકેશભાઈ આર ગોંડલીયા ઉપપ્રમુખ ભરતભાઈ એ દુધરેજીયા તેમજ કારોબારી ટીમ  દ્વારા દર વર્ષે જન્માષ્ટમી પર્વ ઉજવણી  શરદ પુનમ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન વિધાર્થીઓ સરસ્વતી સન્માન સમારોહ તેમજ વંડીલો નિ વંદના સન્માન સમારોહ તેમજ સમાજ માટે ધાર્મિક કાર્યક્રમો  સરકારી  કામકાજ  દવાખાના ના કામકાજ  બ્લડ ડોનેશન માટે  સમાજ માટે સતત કાર્યરત રહે છે તેમ સહ મંત્રી સુરેશભાઈ એમ ગોંડલીયા એ યાદી જણાવે છે

 

અહેવાલ:સુરેશભાઈ ગોંડલીયા અમરેલી





Post a Comment

Previous Post Next Post