માનવ મંદિર સાવરકુંડલા

માનવ મંદિર સાવરકુંડલા

 

માનવ મંદિર સાવરકુંડલા

 


સમાજસેવા એ પ્રભુસેવા છે. સૃષ્ટિના દરેક અંગમાં પ્રભુનો વાસ છે. આથી પ્રાણિમાત્ર તરફ સમભાવ ને સમદષ્ટિ રાખવા જોઈએ, તેમના સુખદુઃખનું આપણને ભાન થવું જોઈએ, અને જગતને સુખી કરવા આપણે હંમેશાં તત્પર રહેવું જોઈએ, જીવનનાં કર્તવ્ય બરાબર નહિ બજાવવાથીજ અને કુદરતી કાયદાઓને ભંગ કરવાથીજ જગતમાં દુઃખ ઉત્પન્ન થાય છે. એવાં દુઃખો દૂર કરવાં, એ સૃષ્ટિનિયમને સહાયક બનવા બરાબર છે.

 

દુનીઆમાં અનેક માણસો અજ્ઞાનતા, નિર્ધનતા, લાચારી, અને બિમારીથી પીડાય છે, ખરાબ રૂઢિઓના બંધનમાં જકડાય છે. અને એવી બીજી અનેક રીતે દુઃખી થાય છે. આવી આપત્તિઓ વખતે તેઓ ગભરાય છે, મુઝાય છે, ને અકળાય છે. તે પ્રસંગે જે અજ્ઞાન હોય તેને જ્ઞાનને પ્રકાશ આપ; ભૂખ્યાને અન્ન, તૃષાતુરને જળ, વિદ્યાતુરને વિદ્યા, ને વસ્ત્ર વિનાનાંને વસ્ત્ર આપવાં, અનાથોના પાલક બની રક્ષણ કરવું; બિમારેની સારવાર કરવી; દુઃખીઓને આશ્વાસન આપવું; રડતાંને છાનાં રાખવા; અનેક પ્રકારના અન્યાય અને જુલમો દૂર કરી, નિર્બળ અને રાંકને બચાવ કરવો; ભૂલેલાંને સાચો માર્ગ બતાવો; સમાજમાં થતા અનાચાર, ટંટા, કલેશ, નિરાશા, વગેરે દૂર કરી, સર્વત્ર સદાચાર, પવિત્રતા, અને સુલેહશાંતિને પ્રચાર કરી આનંદ પ્રસરાવ; આ સર્વ સામાજિક સેવાના સાચા માર્ગ છે.

 

સમાજસેવા એ ખરું જોતાં પિતાની જ સેવા છે; કેમકે તે સેવાથી જેટલું બીજાનું કલ્યાણ થાય છે, તેના કરતાં વિશેષ પિતાનું કલ્યાણ થાય છે. આ કારણથી બીજાઓને સુખી જેવાને જેઓને અભિલાષ હોય તેઓએ દુઃખોની તપાસ કરી, તે દૂર કરવાના પ્રયત્ન કર્યાજ કરવા જોઈએ; અને સાર્વજનિક હિતને તેઓએ અભ્યાસ કરી સમાજનું કલ્યાણ કરવાનો યથાશક્તિ પ્રયાસ કરવો જ જોઈએ.

ત્યારે આવુજ એક ભગીરથ કાર્ય માનવમંદિર સાવરકુંડલા માં ચાલી રહ્યું છે.

રખડતા ભટકતા મનોરોગીઓ ના પાલકપિતા બની  વિનામૂલ્યે સારવાર કરી પુનર્જીવન પ્રાપ્ત કરવાના પ્રયાસની સેવા કરી રહેલા ભક્તિરામ બાપુએ માત્ર માનવતાનો ધર્મ સ્વીકારી આ મનોરોગી મહિલાઓને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

એક ઉત્તમ સેવાનું  તાદ્રશ્ય ચિત્ર માનવમંદિર માં નિહાળી શકાય છે.

શૈલેષ.બો.કાપડી .રાજકોટ



 


Post a Comment

Previous Post Next Post